Home >
હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનું ચોમાસું 31 મે સુધીમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં ± 4 daysની ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.
ગરમીમાં બટાકાની માંગ વધવાથી બટાકા મોંઘા થયા છે. બટાકાના પાક પર અસર પડી હોવાથી માલ ઓછો આવી રહ્યો છે અને સામે માંગ છેક ડિસેમ્બર સુધી ઊંચી રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ 19 મેના રોજ આંદામાન ટાપુઓ પર પહોંચી શકે છે. આંદામાન ટાપુઓમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 22 મે હતી, પરંતુ અનુમાન છે કે આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા એટલે કે 19 મે સુધીમાં પહોંચી શકે છે.
IMD Update: હવામાન વિભાગે 5 મે સુધી ઘણા રાજ્યોમાં લૂ લાગવાની આગાહી કરી છે. ગુજરાત માટે યલ્લો એલર્ટ જ્યારે અન્ય કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ પણ આપ્યું છે.
કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.
Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
સરકારી આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5%ની અંદર અને 10 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 7.68%એ પહોંચ્યો છે.
weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.
ગરમી વધવાથી ઘઉંના પાકને અસર પડશે? હવમાન વિભાગે ઘઉં પકવતા રાજ્યો અંગે શું આગાહી કરી? કયા રાજ્યોમાં અસહ્ય લૂ લાગવાની શક્યતા છે?